અંતરાયો દૂર કરવાં
અગર તમે આ સૂચનાઓને સમજી શકો નહી અથવા તમને એવું લાગતું હોય કે તમે એ કરી શકશો નહી તો, આવાસીય સંપર્ક કેન્દ્ર અથવા તમારા ટી.એમ.ઓ.નો સંપર્ક કરો.
.gif)
![]()
સાધારણ સલાહ
- ગંદગી જાળીમાં ભેગી થવાને લીધે અંતરાયો ઉભાં થાય છે : ચરબી, ચાની પત્તી, વાળ વગેરે. ગંદગીની નળીઓ અને જાળીઓને ખાસ કરીને ડી.આઇ.વાય.ની દુકાનોમાં મળતાં માફક ઉત્પાદની સાથે, નિયમિતપણે સ્વચ્છ કરવી એ એક સારો વિચાર છે.
- જાળી જડેલી વસ્તુઓની નીચે હોય છે (સ્નાનકુંડ, હાથ-મોં ધોવાનું કુંડું અથવા સિંક). તેમાં હંમેશા થોડું પાણી ભરાયેલું હોય છે જે દુર્ગંધને ભૂંગળામાંથી ઉપર આવતી અટકાવે છે. જો કે, ગંદગીનાં થર જામી શકે છે છે અને એમાં ચોંટી જાય છે.
- અગર એક કરતાં વધુ જડેલી વસ્તુઓમાં (સ્નાનકુંડ, હાથમોં ધોવાનું કુંડું, વગેરે) અંતરાયો થયાં હોય, તો અંતરાયો સોઇલ સ્ટેકમાં અથવા મુખ્ય ભૂંગળામાં હોઇ શકે છે. આને દૂર કરવા માટે પ્લમ્બરની જરૂર પડશે. અગર એવું હોય તો, અમને સંપર્ક કરો.
શું કરવું
તમને આમની જરૂર છે:
- કુંડો
- જગ અથવા કપ
- ચીંથરું અથવા ડીશક્લૉથ
- પ્લંજર
- રબ્બરનાં હાથમોજાં.
સ્નાનકુંડ, હાથમોં ધોવાનું કુંડુ અથવા સિંકનાં અંતરાયો દૂર કરવાં :
- મોટાભાગનું પાણી જગ અથવા કપથી કાઢી નાખો
- ચીંથરું અથવા ડીશક્લૉથને ઉભરાટનાં મોઢાં પર સજ્જડ પકડી રાખો
- પ્લંજરને પ્લગહોલ પર મુકો અને એને જોર જોરથી ઉપર નીચે પમ્પ કરો. સામાન્ય રીતે આનાંથી અંતરાય દૂર થાય છે.
- અંતરાયોનો નિકાલ કર્યા પછી જાળીને સ્ક્રૂ ફેરવીને કાઢો અને પછી એને સ્વચ્છ કરો.
- જ્યારે તમારું કામ પુરું થાય ત્યારે, સારી રીતે તમારાં હાથ અને કોઇ પણ સાધન ધોઇ નાંખો.
સંડાસનાં અંતરાય દૂર કરવાં :
- અગર ખાડો પહેલેથી જ ભરાયેલો હોય તો પાવડાથી જેવા કે, જગ અથવા કપથી થોડું પાણી ડોલમાં કાઢી નાખો
- ખાડાનાં તળીયે બ્રશ અથવા પ્લંજર ધકેલો
- જોર જોરથી 10 વખત ઉપર નીચે પમ્પ કરો. આનાંથી દબાણ ઉત્પન્ન થાય છે જે અંતરાયો હલાવી શકે છે
- સંડાસમાં પાણી રેડો અને જુઓ કે અંતરાયો દૂર થયાં છે કે નહી
- સંડાસમાં ફ્લશ સામાન્યરીતે થાય એ માટે તમને આ પદ્ધતિ થોડીક વાર માટે ફરી ફરીથી કરવી પડશે. અગર એમાં બે-ત્રણ વાર પ્રયત્ન કર્યા પછી સુધારો ના થાય તો, તમારે અમને સંપર્ક કરવો જરૂરી છે
- જ્યારે તમારું કામ પુરું થાય ત્યારે, સારી રીતે તમારાં હાથ અને કોઇ પણ સાધન ધોઇ નાંખો.
